Thursday, May 29, 2014

એક કપલની વાત છે. બન્નેએ લવમેરેજ કર્યા હતા. મેરેજનાં પંદર વર્ષ પછી પત્નીને પૂછવામાં આવ્યું કે તને કોઈ અફસોસ છેે? પત્નીએ કહ્યું કે હા, એક અફસોસ છે. મને એમ થાય છે કે હું વહેલી કેમ આ વ્યક્તિ સાથે ન આવી ગઈ? ઘરના લોકો રાજી ન હતા એમાં મેં એને પાંચ વર્ષ ટટળાવ્યો હતો. રડી રડીને અમે એ પાંચ વર્ષ કાઢયાં હતાં. આજે એવું થાય છે કે અમે મૂરખ હતાં! પ્રેમ અને કરિયર બે એવી બાબતો છે, જે સવાલો અને મૂંઝવણનાં બંડલ લઈને આવે છે. નોકરી કરવા બીજા શહેરમાં જવું કે નહીં? નવી જોબની ઓફર સ્વીકારવી કે નહીં? હા, દરેક નિર્ણય સાચા પડે એ જરૂરી નથી. સાથોસાથ એ પણ એટલી જ સાચી વાત છે કે દરેક ડિસિઝન ખોટા પડે એવું પણ જરૂરી નથી. એટલી વાત યાદ રાખવાની કે કોઈ પણ નિર્ણય લઈ લીધા પછી ક્યારેય એ નિર્ણયનો અફસોસ ન કરવો. ખોટો પડયો તો ખોટો પણ એ મારો નિર્ણય હતો. નિર્ણય લેશો તો એ સાચો પડશે અને કદાચ ખોટો પણ પડશે પણ નિર્ણય ન લેવો એ તો ખોટું જ છે. દરેક વખતે કૂદી પડવાનું અને જોખમ લઈ લેવાનું પણ જરૂરી નથી, ઘણી વખત ન કરવાનો નિર્ણય પણ સાચો હોય છે. મૂંઝવણ વધી જાય ત્યારે છેલ્લે દિલને પૂછી લેવાનું અને દિલ જે કહે એ વાત માની લેવાની.

Monday, September 5, 2011

Revision on Teacher's Day

ડિયર ટીચર્સ,

છઠ્ઠા પગાર પંચના અમલ માટે અભિનંદન, અને હજુ યે રીક્ષાવાળા કરતાં ય ઓછી કમાણીવાળા ફિક્સ વિદ્યાસહાયકપણા અને ખોટા પગારોના આંકડામાં સાચી સહી કરીને સ્વનિર્ભર સંસ્થાઓનું સ્વાસ્થ્ય તગડું બનાવવા માટે અફસોસ.

…અને દોસ્તો, અંગ્રેજીનું પેલું વિખ્યાત ક્વૉટ યાદ આવી ગયું કે એજ્યુકેશન લોકોને વાંચતાં લખતાં તો શીખવાડે છે, પણ શું લખવા-વાંચવા જેવું છે (કે નથી!) તેની પસંદગી શીખવાડી શકતું નથી!

બસ મારા વ્હાલા શિક્ષકમિત્રો, અહીં જ તમારો રોલ શરૂ થાય છે. નેવું હજારની ફી ભરીને જે શિક્ષણ સ્ટુડન્ટ મેળવી ન શકે, એ કોઈ ખરો જ્ઞાનપ્યાસી જીવ નેવું રૂપિયાની ફી ભરીને લાયબ્રેરી કે સાયબર કાફેમાં શીખી શકે છે. ૨૧મી સદીના શિક્ષકે પાઠ વાંચી જવાનો નથી, એમાં વિદ્યાર્થીઓને રસ લેતા કરવાના છે. રસ પડશે, તો પછી પાઠ આપોઆપ વિદ્યાર્થીઓ જ વાંચતા થઈ જશે. હવે ‘ઓપન એર બૂક્સ’નું શિક્ષણ ગયું, હવે તો ‘ઓપન યોર માઈન્ડ’નો જમાનો છે. અગેઈન, માલ્કમ ફૉર્બ્સનું વિશ્વવિખ્યાત ક્વૉટ. શિક્ષણનો હેતુ ખાલી દિમાગને (શુષ્ક માહિતીથી) ભરી દેવાનો નથી, પણ ખાલી દિમાગના સ્થાને ખુલ્લા દિમાગ ઘડવાનો છે!

આપ બધા ભણાવો છો, લોકો ભણે છે. પણ હજુ ખુલ્લા બનતા નથી. ખાલી જ રહે છે. ભારતમાં ઓનર કીલિંગ થાય છે. ટેરરિઝમ છે. વીસમી સદીમાં નહોતો એટલો વસમો જ્ઞાતિવાદ છે. સમાજમાં શિક્ષણનું પ્રમાણ આટલું વધે છે, તો ટ્રાફિક સેન્સ કેમ વધતી નથી? આટલી બધી કન્યાકેળવણી થયા પછી પણ કેળવાયેલાં કન્યારત્નોને કેમ પછાત, રિગ્રેસીવ, વાહિયાત માન્યતાઓ, ફિલ્મો અને સિરિયલો જ ગમ્યા કરે છે? શિક્ષિત લોકો મોંઘી ટિકિટ ખર્ચીને સસ્તા ગુજરાતી ટુચકા પર હસ્યા કરે છે?

શિક્ષકે શું ઘેર લઈ જવા માટે હોમવર્ક જ આપવાનું છે, વિદ્યાર્થીઓને? સોરી સર, સોરી મેડમ. તમારે એમને એક વિચારતું, વિકસતું અને વિસ્તરતું ભેજું આપવાનું છે, શાળામાંથી છૂટે ત્યારે ઘેર લઈ જવા માટે! એમની ગેરમાન્યતાઓના બંધિયાર દરવાજાઓના કાટ ખાઈ ગયેલા નકૂચાઓ દાંત ભીંસીને ઉઘાડવાના છે. એમનો એટિટ્યૂડ બદલાવવાનો છે. એમની એક આંખમાં સપના અને બીજી આંખમાં આશા આંજવાની છે.

ક્યારેક તો એમના દફતરમાં નોટબુક્સ, વર્કબૂક્સ, સ્વાઘ્યાયપોથીને બદલે કશીક આજીવન યાદ રહી જાય એવી કોઈ સરસ વાત મૂકો ને! એમને ગમી જાય એવું કશુંક કુતૂહલ એમની ફૂટપટ્ટી, પેન્સિલ, સંચા સાથે કંપાસમાં ગોઠવોને! બહુ બધી નહિ, તો એક-બે ઉપયોગી આદત એમને યુનિફોર્મ સાથે પહેરાવોને! સર્ટિફિકેટ ઓફ ઓનરની સાથે એને ઓનરથી જીવવા જેવો એકાદ સિદ્ધાંત છાતીએ કોતરીને મઢાવી આપોને!

તમે લોકો અકળાઈને કહેશો, એમ કેવી રીતે આ બધા જડસુઓના દિમાગ ખુલ્લા થાય? ગુરુવર્યો, એની ગુરુચાવી જ એ છે કે પહેલા આપણું પોતાનું દિમાગ આપણે ખુલ્લું કરવું પડે. નવી વાતોને સ્વીકારવી પડે, જૂની ભૂલોને કબૂલવી પડે. ભારતમાં શિક્ષણસંસ્થાઓ છે, પણ શિક્ષણ બહુ ઓછું છે. અઘ્યાપકો-શિક્ષકો બીડી-ગુટકાના બંધાણી છે. શિક્ષિકાઓ ગોસિપમાં વ્યસ્ત છે. પગાર પૂરો મળ્યા પછી પણ પરફોર્મન્સ પૂરું કરવું નથી. આપણી ક્રિકેટ ટીમ અને આપ બધા વચ્ચે ખાસ્સું એવું સામ્ય છે. કોઈ વાર એકાદ ખેલાડીની કુશળતા કે પરફોર્મન્સ પર આખી ટીમને જીતનો જશ મળી જાય છે, પણ બાકી જેટલાં શૂન્યો ચેકમાં ઉમેરાય છે,.. એટલા મેદાન પર રન ઉમેરાતા નથી!

સજ્જ બનો, સાહેબો. રજાના દિવસે, વેકેશનમાં થોડુંક પોતાના સબ્જેક્ટનું હોમવર્ક કરો – ફોર એ ચેન્જ. તમારા સબ્જેક્ટના કેટલાં પુસ્તકો અને મેગેઝીન્સ સ્વખર્ચે વધી ગયેલા પગારમાંથી મંગાવો છો? ઈન્ટરનેટ પર સર્ફિંગ કરી સ્ટુડન્ટસ સાથે શેર કરવા જેવી કેટલી વેબસાઈટની માહિતી રાખો છો? ખબર છે, આપ બધા ખૂબ સંમેલનો કરો છો. જાત-ભાતના સેમિનાર્સમાં પેપર રીડિંગ કરીને પોઈન્ટ સ્કોર કરો છો. પણ આ બઘું ગોખેલું, ઉધાર-ઉછીનું લીધેલું, બે-ચાર આડાઅવળા સોર્સમાંથી ‘કોપી’ કરેલું જ્ઞાન છે. જ્ઞાન નથી, પણ જ્ઞાનનો દેખાડો છે.

કેમ નવી કોઈ પેટન્ટ મળે એવો ધમાકેદાર રિસર્ચ રિપોર્ટ પીએચડીમાં રજૂ નથી કરાતો? કેમ થીસિસ બધી બની ગયેલી, ચવાઈને ચુથ્થો થયેલી જૂનીપુરાણી થીમના જ હોય છે? એમાં કશું ફ્યુચરિસ્ટિક નથી હોતું? કરન્ટ નથી હોતું? સેલફોન પર પ્રતિબંધ આવ્યો શાળા-કોલેજોમાં. કેટલાકે તરફેણ કરી, કેટલાકે વિરોધ. પણ અત્યાર સુધીમાં આપ બધામાંથી કોઈએ કશો ઓથેન્ટિક રિપોર્ટ કર્યો મોબાઈલ, ટીવી, ઈન્ટરનેટથી બદલાતા (બગડતા કે સુધરતા જેવા પૂર્વગ્રહો નહિ, જસ્ટ બદલાતા) શિક્ષણ અંગે? નવી ટેકનોલોજીને સિલેબસમાં સામેલ કરવા અંગે?

અને સામેલ કરવું એટલે કોમ્પ્યુટરની જેમ એક લેબ ઊભી કરીને એનું પેપર દાખલ કરવું, એમ નહિ. એનો ભણતરમાં એક હથિયાર તરીકે ઉપયોગ કરવો! સૂર્યમાળા પણ કોમ્પ્યુટર દ્વારા ક્લાસમાં બતાવી શકાય અને સરિસૃપોની શીતનિન્દ્રા પણ! હિન્દ છોડો આંદોલનનો ઇતિહાસ અને સરદાર સરોવર ડેમની ભૂગોળ પણ! બોલપેન જેવા જ આ બધા નવા ડિજીટલ ડિવાઈસ એક ટૂલ છે, મોડર્ન એજ્યુકેશનના! આઘુનિકતા એટલે નવા ગોગલ્સ, નવી પેટર્નના ડ્રેસ નહિ, આઘુનિકતા એટલે જૂનાં બંધનો, અંધવિશ્વાસુ નિયમો, પરંપરાના ચોકઠાંમાંથી આઝાદ થવું!

શિક્ષણની આખી પ્રક્રિયાને માત્ર એક શબ્દમાં જ મૂકવી હોય તો? વર્ષો પહેલાં એ જવાબ જગતને ભારતે આપેલો છે. પૃથ્વી પર દરેક શબ્દ, દરેક ઘટના, દરેક શિલ્પ, દરેક સર્જન પાછળ એક રસપ્રદ કહાની હોય છે. ક્યારેય વિસ્મય થયું છે એ સમજવાનું? જેના વિશે ઉંચી ડોકે આપણે મફતિયો ગર્વ જ પંપાળ્યા કરીએ છીએ, એવી એક મહાન વિદ્યાપીઠ હતી ભારતમાં – નાલંદા. કેટલાએ તસ્દી લીધી છે, એનો અર્થ સમજવાની? શબ્દો યાદ કરવા એ શિક્ષણ નથી, અર્થ સમજવો એ શિક્ષણ છે. નાલંદા એટલે ન અલમ દા. મતલબ, આટલું પૂરતું નથી!

ડિસ્કવરી ચેનલની કેચલાઈન યાદ આવી ગઈ? એક્સપાન્ડ યોર હોરાઈઝન્સ! ધરતી-આકાશ જ્યાં એકમેકમાં ઓગળતા હોય એ ક્ષિતિજને કદી સ્પર્શી નથી શકાતી, જેમ એને પકડવા ચાલો, એ દૂર ભાગતી જાય! પણ એ યાત્રા અવનવા અનુભવો આપે, નવી સમજ, નવી દિશા આપે. જૂની વ્યાખ્યાઓ તોડે એવું ફ્રેશ લર્નિંગ આપે. શિક્ષણનું પણ આવું જ છે. એમાં ભૂતકાળનો આદર છે, વર્તમાનનો સાક્ષાત્કાર છે અને ભવિષ્યનું ઘડતર છે.

બસ, એ માટે સતત શિક્ષકે ચાલતા રહેવું પડે. સ્થિતિઊર્જાનું ગતિઊર્જામાં રૂપાંતર કરતાં શીખવું પડે. પથ્થર જેવા વિદ્યાર્થીઓને પડતા મૂકી, બાકીની ભીની માટી પર ફોકસ કરવાની કુશળતા જાણવી પડે.

તમને ખબર છે પ્રિય મિત્રો, તમારી ઊંમર નોકરીમાં જેમ જેમ વધતી જશે, એમ એમ તમારા વિદ્યાર્થીઓની ઘટતી જશે. વિદ્યાર્થી હમેશાં ચિરયુવાન જ રહેવાનો છે. માટે અઘ્યાપક કે શિક્ષકને ઘરડાં થવું પાલવે નહીં. કરચલીઓ તન પર પડે છે, મન પર નવું શીખવાની ઈસ્ત્રી ફેરવી શકાય છે!

રિસ્પેક્ટેડ ટીચર્સ, રંગીન બનો, શોખીન બનો, કાબિલ બનો, ઝિંદાદિલ બનો. વિદ્યાર્થી તમારી વાણીમાંથી નહિ, વર્તનમાંથી અનુકરણીય આચરણ ગ્રહણ કરતો હોય છે. મૂલ્યો વર્ગમાં રોપવાં હોય, તો પહેલાં ખુદમાં ઉછેરવાં પડશે. તમે ગાઈડ છો, ગાર્ડિયન નથી. છોકરાઓ કેવાં કપડાં પહેરે છે કે કેવા સેલિબ્રેશન કરે છે – એમાં તમારું ઘ્યાન જ કેમ જાય? જો તમે તમારા કાર્યમાંથી નિષ્ઠાથી ખૂંપેલા હો તો? યાદ રાખજો, કોઈને સતત વખોડીને તેની નજીક જઈ શકાતું નથી.

ક્યારેક વિદ્યાર્થીના નામ-ઠામ કે ઘરપરિવારની વિગતને બદલે એને એના ગમા- અણગમા વિશે પૂછો. એના જીવનની હેપીએસ્ટ એન્ડ સેડેસ્ટ મોમેન્ટ વિશે જાણો. ક્યારેક એની મિથ્યાભિમાની માનસિકતા તૂટે એવી રોકડી ચર્ચા કરવાની ખુદ્દાર ખુમારી રાખો. પણ શિક્ષકે સિન્સિયર બનવાનું છે, સિરિયસ નહિ! લર્નિંગ ઇઝ એક્સાઈટિંગ પ્રોસેસ. ફીલ ધ ફન ઓફ ઇટ. ફક્ત હોંશિયાર જ નહિ, થોડા સ્ટાઇલિશ અને સ્માર્ટ બનો. માત્ર ઘડિયાળ-ઘરેણાં જ નહિ, ચહેરા પર થોડુંક સ્મિત પણ પહેરો!

જો આ બઘું બહુ વધારે લાગતું હોય, પરાણે-પરાણે કરવું પડતું હોય, જોબ પર બોર થઈ જતા હો, ચેલેન્જથી ભાગતા ફરતા હો તો પ્લીઝ એક વહેલી સવારે હસતા મોંએ રાજીનામું લખી નાખવું. વળતર મેળવવામાં જો આપણે મોકો ચૂકતા ન હોઈએ, તો પછી જવાબદારી નિભાવવામાં બહાનાં શા માટે? ભારતમાં ટીચીંગ પ્રોફેશન એક મોસ્ટ સિક્યોર્ડ, મોસ્ટ કમ્ફર્ટેબલ, હાઈ રિટર્ન, લેસ કોમ્પિટિટિવ જોબ છે. એટલે જ એજ્યુકેશન ખાડે ગયું છે!

ક્વૉલિટી માત્ર ઉપરથી આવતા કંટ્રોલથી નહિ, અંદરથી ઊભી થતી સ્પર્ધાત્મક અસલામતીથી પણ જળવાય છે. શિક્ષકના પગાર સમાજમાં સર્વોચ્ચ હોવા જોઈએ, એ સંસ્કાર પ્રોડક્શન પબ્લિક લિમિટેડનો સીઈઓ છે. પણ એની નોકરી કાયમી નહિ, ગુણવત્તાના ધોરણે હંગામી હોવી જોઈએ. ટ્યુશનમાં કમાતા ટીચર્સને ક્યાં સેફ્ટી હોય છે?

અઢળક શૈક્ષણિક વ્યાખ્યાઓના અંગત અનુભવે બે વાત જડી છે: ગુજરાતના ઘણા યુવા ટીચર્સ એમના પુરોગામી જેવા આળસુ નથી. એમનામાં ઉત્સાહ છે, યંગથીંગ્સ સાથેનું સાહજિક કનેક્શન પણ છે. બીજું, જૂના-નવા ઘણા-ખરા શિક્ષકો ફક્ત ‘એક્ઝામિનેશન સીસ્ટમ’ બની રહેતી એજ્યુકેશન સીસ્ટમથી ફસ્ટ્રેટેડ છે, બોર થયેલા છે. સંચાલકો કે સ્ટુડન્ટસ સામે નિખાલસ નહિ બનતા હોય, પણ અંદરખાનેથી એમની સહાનુભૂતિ વિદ્યાર્થીઓ સાથે, અને ખટપટ સામે છે.

તો હમખયાલો, હમદર્દો…. નેકી ઔર પૂછપૂછ? ક્યાં સુધી સત્ય, સાહસ, સંશોધન, સંઘર્ષને ભણાવી દેવાના જ વિષયો સમજશો? સંગઠિત થઈને જૂનો ઢાંચો ફગાવી નવી પઘ્ધતિનાં વધામણાં કરો! બદલી-બઢતી સિવાય ક્યારેક ક્રિએટીવ એક્ઝામ્સ અને ઇમેજીનેટિવ અભ્યાસક્રમ માટે પણ આંદોલન કરો! એકનાં એક ભાષણો સાંભળી ભોજન સમારંભોમાં ગંદકી વધારવાને બદલે જરા પોતાના જ ક્ષેત્રની ગંદકી ઉલેચવાનો પરાક્રમયજ્ઞ કરો.

મોલ, મલ્ટીપ્લેક્સ, મોબાઈલના જમાનામાં ફિલ્મોએ પણ બદલાવું પડે છે, તો સ્કૂલો-કોલેજો કેમ નહિ? કોઈપણ ક્ષેત્રમાં વિકાસ ત્યારે જ થાય, જ્યારે એમાં કામ કરતી ટીમમાં એવરેજ અને એક્સલન્ટ પરફોમર્સ વચ્ચેનો ગેપ ઘટતો જાય! સદનસીબે, રાજ્યથી રાષ્ટ્ર સુધીના વડેરા નેતાઓ શિક્ષણના પરિવર્તન બાબતે પૂરા સંમત છે. પણ વિદ્યાવ્યાવસાયીઓ એકમત છે ખરા?

ફુરસદે રજાનો લાભ લઈ, ગાંધીનગરના અક્ષરધામ ખાતે તૈયાર થયેલો આંતરરાષ્ટ્રીય સ્તરનો (ભારતનો એકમેવ) વૉટર શૉ જોવા જજો. સાયન્સ એન્ડ સ્પિરિચ્યુઅલિટીનો અદ્ભુત અનુભવ તો થશે જ, પણ ભારતીય વારસાનું એક સ્વર્ણિમ પ્રકરણ યાદ આવશે – યમ, નચિકેતા સંવાદનું! કઠોપનિષદના આ બાળનાયકે યમ પાસેથી સેંકડો વર્ષોનું આયુષ્ય, સમ્રાટના રાજપાટ, વિશ્વના વૈભવવિલાસ, હેલ્થ-વેલ્થ-પાવર બઘું જ મૂકીને શું માગ્યું હતું?

જ્ઞાન!

હે જ્ઞાનમાર્ગીઓ, હેરી પોટરથી સ્ટાર વોર્સ સુધીનું તેજ તમને પ્રાપ્ત થાઓ એ જ પ્રાર્થના. પણ શિક્ષક દિને જો બદલાશો નહિ, તો બદલશો કેવી રીતે? રજનીશથી લઈને બિલ ગેટ્સ સુધીના શિક્ષકો આપણને શીખવે છે, માત્ર બે જ શબ્દો: નો (know) એન્ડ ગ્રો (grow). પહેલાં જાણો, પછી વિકસો. શિક્ષણસેતુના આ બે કિનારા છે. શિક્ષક એટલે જ્ઞાનના અજવાળાનો રક્ષક અને અજ્ઞાનના અંધારાનો ભક્ષક!

ઑલ ધ બેસ્ટ. કીપ ઇટ અપ. યુ આર ધ લાસ્ટ હોપ!

લિખિતંગ

શીખતાં બાળક અને શીખવતા શિક્ષકને જોઈને અમથેઅમથું મલકાતું એક બુદ્ધુ બચ્ચું.

ફાસ્ટ ફોરવર્ડ

‘શિક્ષણનો મૂળ હેતુ છે અરીસાઓને બારીમાં બદલવાનો!’

(સિડની હેરિસનું શિક્ષિત થયા વિના સમજી ન શકાય એવું ફેવરિટ ક્વૉટ)

## શિક્ષક દિને ગત વર્ષના લેખનું રિ-વિઝન !:P

Friday, February 12, 2010

Is the Geeta a holy book?

I do not think the Gita should be worshipped as a holy book. What can be accomplished by wrapping it up in a piece of red cloth and anointing it with flowers? That would be a meaningless ritual, to escape from reading it. The Gita can have meaning only if the verses on paper, printed and bound, help to keep us away from any deviation from the right path. Otherwise, the Gita would only be a bundle of lifeless pages, without any real relation to our lives. It is nothing to be happy about, if you have the chapters of the Gita at the tip of your tongue. Sometimes, that too is a matter of vanity. In such a case, there is no difference between the croaking of a frog, and reciting the Gita, if it's message does not impress your heart and soul.I wonder, are our young men and women interested in reading and understanding the Gita. I find the answer in Teilhard de Chardin's statement, " The future is in the hands of the people who can give enough reasons to hope and live to the coming generations". The Vedas are our invaluable reference books. The Upanishads are our textbooks. The Gita is our guide.It is a pity that the Gita is considered as a book for the aged. To become old without understanding the Gita, is a loss. After all, what has Krishna got to do with any particular phase of age?

Akha Bhagat Great Gujarati Critic & Poets

Akho Bhagat was one of the greatest bhakti poets of Gujarat during the 17th century. His main work of action was in the Khadia locality of Ahmedabad. Akho was a goldsmith by caste and one of the three sons Kahandas. Akho’s ancestors had come from a village called Srimala, located near the border of Rajasthan. Therefore his clan is also known as Srimali Soni. However, Akho’s birth place was Jetalpur, a small village near Ahmedabad. Akho with his father and sister had come to Ahmedabad to earn livelihood as goldsmiths. In Ahmedabad they settled in Desai ni Pol in Khadia. Akho had lost his mother in his childhood and his father died when he was twenty years old. Luck did not favour him as his lost both his first and second wife during his youth.
Akho was a great soul, compassionate and trustworthy. He had a great reputation as a goldsmith in the tanksal (the Mughal mint) during the time of the Emperor Jahangir.
Two incidents had considerable impact in his life. On his neighbourhood lived a young lady called Jamunaben to whom Akho treated as his own sister. Once Jamunaben asked Akho to make a necklace for her and gave him three hundred rupees. Akho was very happy to make it and out of love added another hundred rupees to make it more beautiful. Yet when he finished it making and offered to Jamunaben he was greatly disappointed due to her doubt about the mixing of poor quality gold.
Akho was very hurt about his sister’s doubt towards him.
In another incident...Akho was one of the heads of the mint and was in charge of making gold coins. His associates were jealous of him and complained to the mint head against Akho as mixing poor quality material while making coins. He was however proved innocent.
These two events were turning points in his life. He threw all his instruments and tools in the well. Akho then left home in search of a real guru for seeking guidance. He could not find a proper guru in Ahmedabad and therefore wandered in Gokul, Mathura and Kashi. But everywhere he was disappointed as the gurus he met had so much of vested interest. He donated all his saving for genuine causes. His soul became more enlightened. He wrote: “for long time I was crying, so all of a sudden god erupted”.
Akho was known for his poetries to enlighten the society which had become worst during his time. Akho attacked social mores with a vengeance fearlessly lashed out at mindless rituals, ridiculed the system in his unique style immortalised as the ‘chhappa’. Nothing escaped his attack – from the religious gurus to the caste system of prevailing condition. He ridiculed them all with his satire. One such example is:
A girl born in the house of an untouchable, marries a Brahmin andVaishnav;They enjoy sex with her round the yearYet they follow the rules of untouchability very strictlyThe style of his writing was simple and easy to follow for a common man. He had voiced against the hypocrisy in the society.
There is no other one like Akho in the five hundred years history of Gujarati literature. Like jewellery, his poems were full of aesthetics.
Today, thanks to the effort by the heritage cell of Ahmedabad Municipal Corporation, a beautiful sculpture of Akho is erected at Desai ni Pol, and its surrounding is named after him – Akha Bhagat ni Chowk. His 12th generation descendents live opposite to the statue in Desai ni pol.
આવાં કામો પોલીસની છાપ સુધારવા માટે જરૃરી છે’’
A postman delivering Postcard without Nameઅમદાવાદ, તા.૪આભાર માનવાથી પણ ‘પ્રેરણાની મહેક’ પ્રસરતી હોય છે. દિવસ દરમિયાન ટ્રાફિક પોલીસના જવાનો મેમા ફાડવાની સાથે કેટલાય લોકોને મદદરુપ પણ થતાં હોય છે. જેમ કે શહેરના વિજય ચાર રસ્તા પાસે એક સિનિયર સિટીઝન એક્ટિવા લઈને પસાર થઈ રહ્યાં હતાં, ત્યારે એક્ટિવા સ્લીપ ખાઈ જતાં તેઓ જમીન પર પટકાયા હતાં. એટલે તરત જ ત્યાં ફરજ બજાવતા ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલે સિનિયરની સિટીઝનને ઉભા કરીને પોતાના ઘેર મૂકવા સુધીની તૈયાર દર્શાવી હતી. જો કે, કોઈ પણ પ્રકારની ઈજા થઈ ન હોવાથી તેઓ ફરી એક્ટિવા લઈને ઘેર જવા નીકળી ગયા હતાં, ત્યાર બાદ તેમણે પોસ્ટ કાર્ડ લખીને ટ્રાફિક પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.શહેરના જાણીતા વિજય ચાર રસ્તા રોડ પર બનાવેલાં ડિવાઈડરમાં ઉગાડેલાં વૃક્ષોને મ્યુનિ.કોર્પોરેશનના ટેન્કરો મારફતે પાણીનું સિંચન કરવામાં આવે છે. જો કે, ઘણીવાર ટેન્કરમાં પાણી વધારે હોવાથી રસ્તા પર ઢોળતું હોય છે અને તેને લીધે દ્વિચક્રી વાહનો સ્લીપ થતાં હોય છે. બસ, રસ્તા પર પાણી ઢોળાયું હોવાથી રવિવારના રોજ બપોરના સમયે સનિયર સિટીઝન અને પૂર્વ આચાર્ય સનત જાની એક્ટિવા લઈને પસાર થઈ રહ્યાં હતાં ત્યારે એક્ટિવા સ્લીપ ખાઈ જતાં તેઓ નીચે પટકાયા હતાં. જો કે, તરત જ ફરજ પર હાજર ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ અમૃતલાલ પટણીએ એક્ટિવા રોડની બાજુમાં મૂક્યું, સિનિયર સિટીઝનને થોડું પાણી આપ્યું અને જરુર હોય તો સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવા સુધીની તૈયાર દર્શાવી. જો કે, કોઈ પ્રકારની ઈજા ન થતાં સિનિયર સિટીઝને સારવારની ‘ના’ કહીને ઘેર જવા પ્રયાણ કર્યું.બીજી તરફ તા.૪થી નવેમ્બરના રોજ ફરજ પર હાજર ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ અમૃતભાઈ પટણીને ટપાલી એક પોસ્ટકાર્ડ આપી ગયો હતો. એમાં લખેલાં શબ્દો આ પ્રમાણે છે : ‘‘માનનીય શ્રી, નામ ના જાણતો હોવાથી નામ વગર આ પત્ર લખી રહ્યો છું. બપોરના લગભગ ૧૧-૪૫ કલાકે કોફી બાર પાસે હું એક્ટિવા પરથી પડી ગયો હતો. ઢોળાયેલાં પાણીને કારણે મારું એક્ટિવા સ્લીપ ખાઈ ગયું હતું. તમે અને અન્ય મિત્રોએ જે મદદ કરી તે બદલ હું આભાર માનું છું. આવાં કામો પોલીસની છાપ સુધારવા માટે ખૂબ જ જરૃરી છે. તમે દર્શાવેલી સહાનુભૂતિ અને તમે કરેલી મદદ બદલ આભાર. લી.સનત જાની, પૂર્વ આચાર્ય, હિરામણી સ્કૂલ.’’સિનિયર સિટીઝન સનત જાની રસ્તા પર પડી ગયા, ત્યારે જે પોલીસ કોન્સ્ટેબલે મદદ કરી તેમનું નામ તેઓ જાણતાં ન હતાં. એટલે પોસ્ટકાર્ડ લખવું કયા નામ અને સરનામે ? એટલે તેમણે પોસ્ટકાર્ડમાં એવું સંબોધન આપ્યું હતું કે, ‘‘ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ, વિજય ચાર રસ્તા પાસે, કોફી બારની સામે, નવરંગપુરા, અમદાવાદ.’’ આમ, નામ વગર આ રીતે લખેલું પોસ્ટકાર્ડ પણ કોન્સ્ટેબલ અમૃતભાઈ પટણીને મળી ગયું. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે, ટપાલ પહોંચાડવાનું કામગીરી કરી રહેલાં ટપાલીઓ પણ નામ વગરની ટપાલ યોગ્ય વ્યક્તિ સુધી પહોંચાડીને પ્રેરણાના સેતુ રચવાની ઉદાહરણીય કામગીરી કરી રહ્યાં છે.સિનિયર સિટીઝન સનત જાનીએ પોસ્ટકાર્ડમાં એક વાક્ય લખ્યું હતું કે, ‘‘આવાં કામો પોલીસની છાપ સુધારવા માટે જરૃરી છે.’’ આમ, પોલીસની છાપ સુધારવા માટે કેટલીક પોલીસ જવાનો ‘હેલ્પીંગ હેન્ડ’ બનીને માનવતા દાખવી રહ્યાં છે, જેનું અનુસરણ ટ્રાફિક પોલીસના તમામ જવાનો કરવું જોઈએ.